વાયુસેનાનું સત્તાવાર નિવેદન
ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટના અંગે ટૂંકું નિવેદન આપતા જણાવ્યું છે કે, આજે જોરહાટમાં વાયુસેનાનું એક AN-32 વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. વધુ વિગતો ઉપલબ્ધ થતાં જ અપડેટ આપવામાં આવશે.
તપાસ અને સ્થિતિનું આકલન
હજુ સુધી જાનહાનિ, નુકસાનનું પ્રમાણ અથવા અકસ્માતનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એરફોર્સના અધિકારીઓ હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તપાસ ટીમો આ અકસ્માત પાછળના કારણો જાણવા માટે તપાસ કરશે.